વર્ષ : ૨૦૨૫-૨૬ સ્કોલરશીપ ફોર્મ ભરવા અંગે.
Date: 26/07/2025
(૧) ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ કોઈપણ એક જ લાગુ પડતી હોય તે સ્કીમમાં ફોર્મ ભરવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે સ્કીમમાં ફોર્મ ભરશે તેનું ફોર્મ રિજેક્ટ થશે તથા કોઈ પણ કાનૂની કાર્યવાહી થાય તેને જવાબદારી વિદ્યાર્થી રહેશે.
(૨) સરકારશ્રીના ધારા-ધોરણ (નિયમ) પ્રમાણે તથા PDF ના ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિદ્યાર્થીઓને ૭૫ ટકા હાજરી થતી હશે તે જ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આવશે જેની ખાસ નોંધ લેવી.
(૩) સ્કોલરશીપનું ફોર્મ ભરતાં પહેલા તમામ વિદ્યાર્થીઓએ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમોની પી.ડી.એફ. ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે.
(૪) વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક એકાઉન્ટના કે.વાય.સી. કરેલ હોવું ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓનાં આધાર કાર્ડ પાંચ વર્ષથી જુનાં હોય તેમણે ફરજિયાત આધાર કાર્ડ અપડેટ કરાવી લેવાનું રહેશે.
(૫) પી.ડી.એફ. પ્રમાણે આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક ખાતામાં એક સરખું નામ હોવું જોઈએ તે જ પ્રમાણે ફોર્મ માં પણ એકસરખું નામ હોવું જોઈએ
(૬) વિદ્યાર્થી ફોર્મ ભરવા જાય ત્યારે મોબાઈલ નંબર તથા ઇમેલ આઇડી ચાલુ હોય તે જ આપવાના રહેશે તથા આ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી કોલેજના ૬ સેમે. સુધી સાચવીને રાખવાના રહેશે.
(૭) પી.ડી.એફ. પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવાના રહેશે તથા ક્રમમાં રાખવાના રહેશે
(૮) વિદ્યાર્થી કોઈપણ કોમ્પ્યુટર સેન્ટરમાં ફોર્મ ભરવા જાય ત્યાં ફોર્મ માં કોઈ પણ ભૂલ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવી તથા ફોર્મ ફાઈનલ સબમિટ આપેલું જ કોલેજમાં જમા કરાવવાનું રહેશે જે કોઈ વિદ્યાર્થીનું ફોર્મ સ્લોરરશીપની વેબસાઈટમાં દેખાશે નહીં તેમનું ફોર્મ રિજેક્ટ થશે જેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
(૯) પોસ્ટમેટ્રીક સ્કોલરશીપની કોઈપણ સ્કીમમાં કોલેજનાં બોનોફાઇડની જરૂર પડતી નથી તેથી કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલેજમાં બોનોફાઇડ લેવા તથા ઓનલાઇનમાં અપલોડ કરવાનું રહેતું નથી.
ફક્ત લાલ ચોપડી (શ્રમજીવી) લાગુ પડતી હોય તેમને જ આ બોનોફાઈડ લેવા આવવાનું રહેશે અને કોલેજ જાણ કરે ત્યારબાદ જ લેવા આવવાનું રહેશે.
(૧૦) સ્કોલરશીપના ભરેલ ફોર્મ તમામ વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા ટાઈમ અને તારીખ જાહેર કરે ત્યારબાદ જ કોલેજમાં જમા કરવા આવવાનું રહેશે